શીતળા સાતમ વ્રત કથા | Sitala Satam Vrat Katha In Gujarati

શીતળા સાતમ વ્રતની વિધિ

પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ (વદસાતમ)ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે.

સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું. ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું.

આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચુલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે.

ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી.

આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

શીતળા સાતમ વ્રતકથા/વાર્તા

ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી.

કજીયાખોર અને ઈર્ષાની ભરેલી હતી.

વાત વાતમાં વાંકુ પાડતી. જ્યારે નાની વહુ ઘણી ભલી, મોળી અને પારકાના દુ:ખે દુ:ખી થનારી હતી.

પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠ્ઠનાં દિવસે નાની વધુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી.

પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો.

સાતે કામ પડતાં મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ.

દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ, અને ફૂલો ઠારવાનો રહી ગયો.

અર્ધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યાં. ફરતાં ફરતાં નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યાં.

ત્યાં તો શરીરને ઠંડક વળવાનો બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા.

આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો.

‘હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો.’ નાની વહુ સવારે ઊઠી.

ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો.

એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના ઘેષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે.

એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી, સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતાં કહ્યું,“વહુ ધીરજ ધર, શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે. જરૂર તારા પર કૃપા કરશે.”

નાની વહુ સાસુના આશીર્વાદ લઈ, છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય.

રસ્તામાં બે તલાવડીઓછલોછલ ભરેલી હતી.

કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈપાણી પીવે નહી.

મનુષ્ય કે પશુ-પક્ષી કે પારેવાં, જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું.

નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી ?

નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માનીકૃપા મેળવવા જાઉં છું.

એમ કહ્યું ત્યારે તલાવડી બોલી. બહેન ! અમારું પણ એક કામ કરજે.

અમારા એવાં તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુંને પામે છે.

મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે.

નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં બે લડતા આખલા મળ્યાં.

બંન્નેની ડોકે ઘંટીના પડ બાંધેલા. નાની વહુને જોઈ પૂછ્યું વહુ ! ક્યા જીલી ? નાની વહુએ શીતળામાંના કોપની વાત કરી ત્યારે આખલા

બોલ્યાં, અમારું ય એક કામ કરજે.

અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી.

તો અમારા એવા તે શું પાપ હશે ? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે.

નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દીવેટું જેવા વાળ બેય હથે ખંજવાળતી બેઠેલી.

વહુને જોઈ ડોશી બોલી – બાઈ રે બાઈ, આમ હાંફળી-ફાંફળી ક્યાં હાલી ?” વહુએ શીતળામાંના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી,‘અલી ! જરાક મારું માથું તો જોઈ દેતી જા.’

નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી.

તેણે સુંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા.

જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓકાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાનાં શરીર ઉપર ફરવા માંડ્યા.

થોડીવારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, “હાશ…બહેન… દીકરી ! તે મારા માથામાં ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે. તો તેમ તારું પેટ ઠરજો.”

જ્યા ડોશીમા આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઉંવા ઉંવા કરી રડવા લાગ્યું.

છોકરાને રોતું જોઈને વહુતો હરખઘેલી થઈ ગઈ.

અને એના મનમાં આનંદ સમાતો નથી, પણ થોડીવારમાં જ તેને વિચાર આવ્યો કે કે માનો ન માનો આ ડોશીમાના પગે આળોટી પડી. ‘બસ, મા ! હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી ! મારી ભૂલ હું કબૂલ કરું છું.

તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત ?” આમ કહી રડવા લાગી.

ત્યારે શીતળામાં બોલ્યા, “રડ નહિ દિકરી ! મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ.

વ્રત અખંડ રહેવું જોઈએ. વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહિ અને શાપ લાગે, પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા…સુખી થા મારા આશીર્વાદ છે.”

શીતળામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલાં છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, “માતાજી ! રસ્તામાં આવતાં બે તલાવડી છે.

“નિર્મળ જળ છલોછલ પાણી છે, ટોપરાં જેવું મીઠું પાણી છે,

પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામે જોતું નથી.”

તેના પાપનું નિવારણ શું ? તે આપ દયા કરીને કહ્યું. વહુની વાત સાંભળી શીતળામાંએ કહ્યું “બેટા ! આગલા ભવમાં એ બેયશોક્યો હતી.

બેયની વચ્ચે એવું વેર-ઝેર હતું કે રોજ લડે ! ઘેર દૂઝણાં હતાં તેથી વલોણું હતું. એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં બ્લોછલ પાણી નાંખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી.

માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે.”

પછી તો…તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હથ જોડી માતાજીને કહ્યું,“માતાજી ! ત્યાર પછી રસ્તામાં આવતાં બે આખલા મળ્યાં. બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે.

અને તે બંનેના ગળામાં ઘંટીના પડીયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો.”

શીતળામાંએ કહ્યું, “સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતાં.

બેય ટૂંકા મનવાળી, ઘરમાં ખાંડણિયું (ખાણિયો) અને ઘંટી હતાં, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે નિહ.

આ પાપ આજે તેમને નડે છે. તો તું એમની પાસે જ્યે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડીયા છોડીને બેયનો છૂટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લશે નહિ.”

આમ આટલું કી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યાં.

બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યાં ? અમારા પાપના નિવારણ જાણ્યા ?

વહુ કહે,‘ ગયા જનમમાં તમે બેય દેરાણી જેઠાણી હતાં. ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતાં અને છણકા કરી કાઢી મૂકતાં હતાં.

તે પાપ આજે તમને નડે છે, અને તેથી તમે બંને આખો દિવસ લડ્યાં કરો છો.” આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લતા બંધ થઈ ગયા.

વધુ તો આગળ વધી આગળ જતાં રસ્તામાં પેલી કે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવ આગલાં જનમની વાત કહી અને કહ્યું,“બહેન ! ભગવાન પાસે ચોખ્ખો ન્યાય છે. કે…”

જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં.

દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશોનહીં.

માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુ:ખીયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો.

આમ વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અનેકહ્યું,‘ભગવાન તારું ભલું કરે.’ અને આટલું બોલતાં આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યાં. આ જોઈ બેય તલાવડીઓ આનંદિત થઈ ઊઠી.

ઘેર જવામાં મોડું થઈ જશે. એમ વિચારી વહુ છોકરાને લઈચાલી.

ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું.

સાસુમા ઓ સાસુમા,શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા.

માએ અમને વહલ કર્યો, નાના બાળ જીવતા કર્યાં.

શીતળામાના વ્રત અમને ફળ્યા.

સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને પયેલીથઈ ગઈ.

વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાંખી શીતળામાં પાસે ગઈ અને સજીવન થયો. એ તો ઈર્ષાની મારી બળી ઊઠી પણ થાય શું ?

આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વિતવા લાગ્યાં. વળી પાછો રાંધણછઠ્ઠનો દિવસ આવ્યો.

એટલે પેલી વકી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હુંય દેરાણીની જેમ

બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું “બહેન ! આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉ છું.

દીકરો સજીવન કરવા જાણી બોલી. “ભલે માડી મલે જા…પણ જતાં જતાં જરા માટે માથામાંથી થોડી જ કાઢતી જાને, ભગવાન તારું ભલું કરશે શ્રેણીમાં બોલ્યા.

પણ આ તો અભિમાનનું પૂતળું. ઈર્ષાનો ભંડાર હતો એ . કાંઈ સેવા કરે ? એટલે તુરત જ બોલી,‘એ…ય ઘેથી જોતી ન મારો દીકરો મરેલો પડ્યો છે .

અને શીતળામાં હજુ મળ્યાં નથી તમે માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળ્યે રાખને મારી બાઈ અને કોઈ નવરું નથી તારું માથું જોવા.

” આમ જેઠાણી માં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાંએ કહ્યું,“ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા.”

પણ કોણ સાંભળે છે. આમ આખો દિવસ અને આખી રાત જેવી શીતળામાંની શોધ કરી પણ એમ શીતળામાં મળે ?

માટે બોનો ! દેખા દેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય.

કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનુંપ સારું થતું હોય તો ટાપું ટીપું કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો.

બને તો દાન-દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે.

જેણી શીતળામાને ઓળખી ના શકી અને રખી રખીને રોતી કકળતી ઘેર પાછી આવી.

સાસુ પાસે ઢગલો થઈને પી. સાસુએ તેને શીખામણ આપી કે,“હું ! અજાણતાં થઈ ગયેલી ભૂલ માફ થાય છે.

પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી.

અને એમાં વળી તારો સ્વભાવ ! જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નિહ.”

જય શીતળામાં ! જેના નાની વહુને ફળ્યાં તેવાં વ્રત કરનારે, સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો .

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *