સાકરિયો સોમવાર ની વ્રત કથા | Sakariyo Somwar Vrat Katha In Gujarati
સાકરિયો સોમવાર વ્રત પૂજા વિધિ
શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ કઠિન પરંતુ મહાફળદાયી વ્રત શરૂ કરવું.
આ વ્રત સર્વ મનોરથ સિદ્ધ કરનાર છે.
પુત્રહીન દંપતિ પુત્ર પ્રાપ્ત કરે છે. નિર્ધનને ધન મળે છે. મુર્ખ જ્ઞાની બને છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી, શિવમંદિરે જઈ શિવ-પાર્વતી અને ગણેશનુ પૂજન કરવું.
ઉપવાસ કરવો, વાર્તા સાંભળવી, નૈવેદ્યમાં સાકર લઈ તેના ચાર ભાગ કરવા એક ભાગ શિવને ધરાવવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો જાતે આરોગવો, ચોથો જળમાં
સાકરિયો સોમવાર મહાદેવ ની વ્રત કથા
પધરાવવો. પૂર્ણ ભાવભક્તિથી વ્રત કરવું. વાર્તા:- મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બાહ્મણ રહેતો હતો.
કોઢના કારણે એને કન્યા મળતી ન હતી. બ્રાહ્મણે ઘણા દવા-દારૂ કર્યા પણ કોઢ ન મટયો છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું.
એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ. ગામે ગામથી માગા આવવા લાગ્યા. બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા. પતિ-પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા.
એવામાં ચોમાસુ આવ્યું. બારે મેઘ ખાંગા થયા.
બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી. પતિ-પત્ની બંન્ને જીવ બચાવવા ભાગ્યા. આઠ દિવસની હેલી મંડાણી વરસાદ અટકવાનું નામ લેતો નથી.
લોકોના જીવ પડીકે બંધાયા, ઘર-ખેતરો ડુબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ-બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝુંપડું બાંધ્યું. ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે ? બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે –
‘સુખે સિધાવો નાથ ! મારી જરાય ચિંતા ન કરશો. હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પુરીશ.’
બ્રાહ્મણ તો ખભે ખડિયો નાખીને ચાલતો થયો.
ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી. રખડતાં રઝળતો નાંદી ઋષિના આશ્રમે આવ્યો.
ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી. ઋષિને દયા આવી બ્રાહ્મણને આશરો દીધો.
બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માગી ત્યારે દયાળુ ઋષિએ એને એક જ જડીબુટ્ટી આપતાં કહ્યું કે હે બ્રાહ્મણ ! આ સંજીવની બુટ્ટી છે.
આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પીવાથી એ સજીવન થાય છે. આનાથી એક માણસ
સાન થશે તેથી ધોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે, બ્રાહ્મણ જડીબુટ્ટી લઈને ચાલતો થયો. રસ્તામાં એક નગ આવ્યું. આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું.
આગળ જતા કોઈનું હૈયાફાટ રૂદન સંભળાયું.
બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રંદ કરી રહ્યું છે.
પૂછપરછ ક જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે.
બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી. એ તો દરવાનની રજા લઈ મહેલમાં ગયો.
રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ દઈને બેઠો છે. બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે તે રાજન ! મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું !
રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મડદા તે કાંઈ બેઠા થતા હશે ? પણ ડૂબતાને તણખલાનો સારો.
રાજાએ હા પાડી. બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો. બધા રડવાનું ભુલી તમાશો જોવા લાગ્યા.
બ્રાહ્મણે સંજીવની બુટ્ટી ખરલ પર ઘસી એક ટીપું રેડતાં જ કુંવ૨ ના શબમાં ગરમી આવી.
બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો.
રાજા-રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા. બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો. રાજાએ એને
રાજ પુરોહિતનું પદ આપી રહેવા મહેલ આપ્યો. સેવા માટે દાસ આપ્યા, ભર્યા દરબારમાં ઈનામ અકરામથી નવાજી ધનથી તોળ્યો.
આ બાજું મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુ:ખના દહાડા વિતાવે છે.
પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે.
જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે.
રાત આખી રડવામાં વીતે છે. પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે.
દળણા દળી દળીને હથમાં છાલા પડી ગયા છે .
એવામાં પવિત્ર શ્રાવણ મારા આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું.
ઘરમાં અન્નનો ઘણોય ન હતો. તેથી નકોરડો ઉપવાસ થયો સાંજે પડોશીના ઘેર પુત્ર જન્મ થતા સાકારના પેડા-વહેંચ્યા.
એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો. ગુણવંતીએ સાકરનું પાણી પીધુ અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેલા લાગ્યા.
“દીકરી તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે.
આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું. હું તારા પર પ્રસન્ન થયો છું” પૂર્ણ શ્રદ્ધા થી વ્રત કરી.
ભાવે કરીને ઉજવણું કરજે. તારી મનોકામના પૂર્ણ થશે. બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી
અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ રીતે પંદર
સોમવાર ગયા. સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું, પણ ઘરમાં
ખાવા ન હતું. ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ? ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી.
એજ દિવસે ગિરજાશંકર સિત્તેર પેઢી ખાય તોય ન ખુટે એટલું ધન લઈને આવ્યો. દુઃખના આંસુ હર્ષના બની ગયા.
પછી બંન્નેએ સાથે મળીને વ્રત ઉજવ્યું.
સવા ચાર શેર ઘઉંનો લોટ લીધો, સવા શેર થી અને સવા શેર ગોળના લાડુ બનાવ્યા.
એના ચાર ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો.
બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો. ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો.
પછી બ્રાહ્મણે ઝુંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ- પત્ની બંન્ને શિવને ભજવા લાગ્યા. શિવની કૃપાથી બ્રાહ્મણીની કુખે દેવતાઈ તેજ વાળો પુત્ર જન્મ્યો.
આમ સૌ સારા વાના થયા.
હે શંભુ ! સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું જેવું બ્રાહ્મણી ફળ્યું એવું સૌને ફળજો.